એક તરફ રાજ્યમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. તો બીજી બાજુ અરવલ્લીમાં ખૂનીખેલ ખેલાયો છે. જેમાં બે સગા ભાઈને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
આ અમ્માલે મળતી માહિતી અનુસાર અરવલ્લીના ભિલોડાના કુડોલપાલ ગામે બે સગા ભાઈને હત્યા કરી દેવામાં આવી છે. વિનોદ અને રાજેન્દ્ર નામના બંને ભાઈની હત્યા થતા પોલીસ દોડતી થઈ છે. ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ હત્યા ક્યાં કારણસર કરવામાં આવી તે જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.