અમદાવાદઃ નરોડા પાટીયા કેસના આરોપી પૂર્વ મંત્રી માયાબેન કોડનાણી,બાબુ બજરંગી અને જયદીપ પટેલ સહિતના આરોપીને આજે અમાદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ફર્ધર સ્ટેટમેન્ટ લેવા માટે હાજર રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 186 આરોપીના નિવેદનો લેવામાં આવ્યા છે.
2002 મા ગોધરા ઘટના બાદ રાજ્યમાં કોમી હિંસા ફાટી નકીળી હતી. જેમા અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં 90 થી વધારે લોકોના મોત થયા હતા. આ કેસના મુખ્યા આરોપી તરીકે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાણી, અને બાબુ બંજરંગીનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.