પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમની સારવાર દિલ્હી કેન્ટની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવ્યું છે કે તેમના ફેફસાના ચેપને કારણે તે સેપ્ટિક શોક હેઠળ છે.
હોસ્પિટલે પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઇને નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ગઈકાલથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમની હાલત સતત કથળી રહી છે. ફેફસાના ચેપને કારણે તે સેપ્ટિક શોકમાં ચાલ્યા ગયા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક ખાસ ટીમ દ્વારા મુખરજી પર નજર રાખવામાં આવી રહી છે. તે સતત કોમામાં રહે છે અને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. અગાઉ, રવિવારે હોસ્પિટલ દ્વારા તેમનું મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ ફેફસાના ચેપની સારવાર લઈ રહ્યા છે. તેઓ હેમોડાયનેમિકલી સ્થિર છે.
There is a decline in the medical condition of Former President Pranab Mukherjee since yesterday. He is in septic shock due to his lung infection & is being managed by a team of specialists. He continues to be in deep coma & on ventilator support: Army Hospital (R&R), Delhi Cantt pic.twitter.com/wRlCCT0s6v
— ANI (@ANI) August 31, 2020
84 વર્ષના મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હી કેન્ટની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના મગજમાં લોહીના ગંઠાઈ ગયા પછી મુખરજીનું ઓપરેશન થયું. હોસ્પિટલમાં દાખલ થતા તેમને કોવિડ -19નો પણ ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને શ્વસન ચેપ હતો. મુખર્જીએ 2012 થી 2017 સુધી ભારતના 13 મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.