બાબરી ડિમોલિશન કેસમાં આજે CBI ની સ્પેશિયલ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ બાદ લાલ કૃષ્ણ અડવાણી સહિતનાં 32 આરોપીઓને કોર્ટે નિર્દોષ હોવાનો ચુકાદો સંભળાવ્યો છે.
આપને જણાવી દઇએ કે, 6 ડિસેમ્બર, 1992 નાં રોજ, ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવની વિશેષ અદાલતે અયોધ્યામાં વિવાદિત બંધારણને તોડી પાડવાના ગુનાહિત કેસમાં 28 વર્ષ પછી ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશે ચુકાદો વાંચતા કહ્યું હતું કે, ધ્વંસ પૂર્વ નિર્ધારિત નહીં પણ આકસ્મિક ઘટના હતી. વિશેષ અદાલતે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.