બોલિવૂડના સુપરસ્ટાર રહી ચૂકેલા અભિનેતા દિલીપકુમારની તબિયત સુધારા પર છે અને તેમને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેથી તેમના સમર્થકોની ચિંતા દૂર થઈ ગઈ છે. મહત્વનું છે કે તેમની કિડની બરાબર કામ કરતી ન હોવાથી ગંભીર સ્થિતિમાં તેમને બાન્દ્રની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૪ વર્ષના દિલીપકુમારની કિડની બગડતાં તેમને યુરિનની મુશ્કેલી થઈ હતી અને ખોરાક લેવાનુ બંધ કર્યું હતું. તેમનું ઔક્રિએટિનાઇન લેવલ ખૂબ વધી ગયું હતું. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ અજયકુમાર પાંડેએ કહ્યું હતું કે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ સંપૂર્ણપણે સભાન છે. તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દિલીપકુમારની સાથે તેમનાં પત્ની સાયરાબાનુ હોસ્પિટલમાં રહ્યાં હતાં.
Not Set/ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમારની તબિયત સુધારા પર
બોલિવૂડના સુપરસ્ટાર રહી ચૂકેલા અભિનેતા દિલીપકુમારની તબિયત સુધારા પર છે અને તેમને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેથી તેમના સમર્થકોની ચિંતા દૂર થઈ ગઈ છે. મહત્વનું છે કે તેમની કિડની બરાબર કામ કરતી ન હોવાથી ગંભીર સ્થિતિમાં તેમને બાન્દ્રની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૪ વર્ષના દિલીપકુમારની કિડની બગડતાં તેમને યુરિનની મુશ્કેલી થઈ હતી અને […]
