ભારતીય વાયુ સેના આજે પોતાનો 88 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વાયુસેના આજે ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ પર પોતાની શક્તિ પ્રદર્શન કરશે. રાફેલે પણ આ વર્ષે પ્રથમ વખત વાયુ સેનાનાં કાફલામાં શામેલ કરવામાં આવેલ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતનાં ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો – PM મોદી આજે કોરોના વિરુદ્ધ એક અનોખું ‘જન આંદોલન‘ કરશે શરૂ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, “વાયુસેનાનાં દિવસે, આપણે ગર્વથી અમારા વાયુ સૈનિકો, દિગ્ગજો અને ભારતીય વાયુસેનાનાં પરિવારોનો આદર કરે છે. આપણા આકાશને સુરક્ષિત રાખવામાં અને નાગરિક અધિકારીઓને માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહતમાં મદદ કરવામાં ભારતીય વાયુસેનાનાં યોગદાન માટે રાષ્ટ્ર હંમેશાં ઋણી રહેશે.”
On Air Force Day, we proudly honour our air warriors, veterans, and families of the Indian Air Force. The nation remains indebted to the contribution of the IAF in securing our skies and assisting civil authorities in Humanitarian Assistance and Disaster Relief.
— President of India (@rashtrapatibhvn) October 8, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ”એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાનાં તમામ બહાદુર યોદ્ધાઓને ખૂબ ખૂબ અભિનંદન. તમે દેશનાં આકાશને માત્ર સુરક્ષિત રાખતા નથી, પણ આપત્તિ સમયે માનવતાની સેવા કરવામાં પણ અગ્રેસરની ભૂમિકા નિભાવો છો. તમારી હિંમત, બહાદુરી અને મા ભારતીને બચાવવા સમર્પણ દરેકને પ્રેરણા આપશે.”
एयर फोर्स डे पर भारतीय वायुसेना के सभी वीर योद्धाओं को बहुत-बहुत बधाई। आप न सिर्फ देश के आसमान को सुरक्षित रखते हैं, बल्कि आपदा के समय मानवता की सेवा में भी अग्रणी भूमिका निभाते हैं। मां भारती की रक्षा के लिए आपका साहस, शौर्य और समर्पण हर किसी को प्रेरित करने वाला है।#AFDay2020 pic.twitter.com/0DYlI7zpe6
— Narendra Modi (@narendramodi) October 8, 2020
ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યું, હેપ્પી એરફોર્સ ડે, આપણા બહાદુર એરફોર્સ સૈનિકોએ આપણા આકાશને બચાવવાથી માંડીને તમામ અવરોધોમાં મદદ કરવા માટે, અત્યંત હિંમત અને નિર્ધાર સાથે દેશની સેવા કરી છે. મોદી સરકાર આપણા શકિતશાળી હવાઈ લડવૈયાઓને ઉન્નત રાખવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે.
Greetings on Indian Air Force day!
From safeguarding our skies to assisting in all odds, our brave Air Force personnel have served the nation with utmost courage and determination. Modi govt is doing everything possible to keep our mighty air warriors roaring loud in the skies. pic.twitter.com/ioUCngM38i
— Amit Shah (@AmitShah) October 8, 2020
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને એરફોર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. રાજનાથસિંહે લખ્યું છે કે, “આપણે આધુનિકીકરણ અને સ્વદેશીકરણ દ્વારા ભારતીય વાયુસેનાની લડાઇ ક્ષમતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે ભલે કઇ પણ થઇ જાય ભારતીય વાયુસેના હંમેશા દેશનાં આકાશનું રક્ષણ કરશે.”
My felicitations and best wishes to the air warriors and their families on the occasion of Air Force Day-2020.
Eighty eight years of dedication, sacrifice and excellence mark the journey of the IAF which is today a lethal and formidable force to reckon with. #AFDay2020 @IAF_MCC pic.twitter.com/jo0t1dIv20— Rajnath Singh (@rajnathsingh) October 8, 2020
ભારતીય વાયુ સેનાની રચના 8 ઓક્ટોબર, 1932 નાં રોજ થઈ હતી. ભારતીય વાયુસેના બ્રિટીશ સામ્રાજ્યનાં એરફોર્સનાં એકમ તરીકે સ્થાપિત થઈ હતી. ભારતીય વાયુસેનાએ પહેલું વિમાન 1 એપ્રિલ 1933 નાં રોજ ઉડાવ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.