ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરેશ રૈનાએ અંગત કારણોસર આઈપીએલ છોડ્યા બાદ ટીમનાં મહત્વપૂર્ણ સભ્ય ભારતીય સ્પિનર હરભજનસિંહે પણ આ સિઝન નહીં રમવાનો નિર્ણય લીધો છે.
હરભજને આજે સીએસકે મેનેજમેંટને આ માહિતી આપી હતી. ચેન્નઈ સુપર કિંગ્સને જાણે ચેન્નઈ પહોંચ્યા બાદથી જ કોઈની નજર લાગી ગઇ છે. પ્રથમ, કોવિડ-19 ટેસ્ટમાં બે ખેલાડીઓ સહિત તેના સ્ટાફ સહિત કુલ 13 સભ્યો પોઝિટિવ જોવા મળ્યા, ત્યારબાદ સુરેશ રૈના વિવાદ બાદ ભારત પરત આવ્યો. હમણાં, રૈનાનાં સમાચાર પણ હેડલાઇન્સમાં નહોતા ગયા કે હરભજનનાં આઈપીએલ 2020 માંથી બહાર નીકળવાનાં સમાચાર આવી ગયા છે, જે ચેન્નઈ માટે ખરેખર એક મોટો આંચકો છે.
આ પણ વાંચો – કોરોના કહેર વચ્ચે સરકારનો એક મહત્વનો નિર્ણય, હોસ્પિટલ જતા તમામ દર્દીઓને હવે…
જ્યારે રૈના યુએઈમાં ટીમ સાથે મુસાફરી કર્યા પછી ઘરે પરત ફર્યો હતો, ત્યારે હરભજન ભારતમાં હતો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે દ્વારા ગત અઠવાડિયે કોરોના વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કરનારા બે ખેલાડીઓને છોડી, ગુરુવારે બીજા રાઉન્ડનાં ટેસ્ટ બાદ શુક્રવારે ક્લિયરન્સ બાદ તાલીમ કરવાની સંભાવના છે. ગત સપ્તાહે દીપક ચહર પોઝિટિવ ટેસ્ટ કરનારા બે ખેલાડીઓમાં સામેલ હતા અને સીએસકેનાં કુલ 13 સભ્યો જીવલેણ વાયરસથી સંક્રમિત હતા, જેણે 19 સપ્ટેમ્બરથી અહીં શરૂ થનારી આઇપીએલ પહેલા સુરક્ષાની ચિંતાઓ વધારી દીધી હતી.
આ પણ વાંચો – ભારતમાં TikTok બેન થયા બાદ Snack Video એ કર્યો પગપેસારો
રૈના પોતાના કૌટુંબિક મુદ્દાનાં કારણે ટીમ અધવચ્ચે જ છોડી દીધી છે અને આ પછી તેણે પોતાના વર્તન બદલ ટીમ મેનેજમેન્ટની માફી માંગી લીધી છે, આવુ જ કઇંક કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યુ છે. હવે ધોની પર છે કે તે રૈનાને ટીમમાં વાપસી કરવાની તક આપશે કે નહીં. જોકે સારી વાત એ છે કે રૈનાનાં ફ્રેન્ચાઇઝી સાથે સંબંધો યથાવત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.