ચેન્નઇઃ સુપ્રિમ કોર્ટમાંથી 4 વર્ષની સજા મળ્યા બાદ AIADMK મહાસચિવ શશિકલા બેંગ્લુરુમાં સરેન્ડર કરવા માટે રવાના થઇ ગઇ છે. જેલમાં સરેન્ડર કરતા પહેલા શશિકલે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા અને MGRની સમાધી પર શ્રદ્ધાંજલી અર્પણ કર હતી.
જેલમાં જતા પહેલા શશિકલા તરફથી અમુક શરત રાખવામાં આવી છે. જેમા તેના માટે અલગથી કોટડી, ટીવીની વ્યવસ્થા વગેરેની માંગ કરી છે. આ સિવાય પણ શશિકલા દ્વારા વિવિધ માંગ કરવામાં આવી છે.
શશિકલા માટે અલગથી કોટડીની માંગ
તેમની કોટડીમાં ટીવીની વ્યવસ્થા કરવામાં આવે
શશિકલાને હથકડી ના લગાવવામાં આવે
સેલમાં તેમની સેવા માટે એક સેવક પણ આપવામાં આવે
જેલમાં સામાન્ય ખોરાક જ જમશે શશિકલા
ઘરનું જમાવાનું મળે કેમ કે, તેમને ડાયાબિટિશ છે.
વેસ્ટર્ન ટોઇલેટ
24 કલાક ગરમ પાણી
24 મીનરલ વોટર
ઉલ્લેખનીય છે કે, શશિકલાને તરત જ સરેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટે શશિકલા તરફથી આપવામાં આવેલ અરજીને ફગાવી દેવામાં આવી છે. જેમા સરેન્ડર કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, શશિકલાને સરેન્ડર કરવા માટે વધારે સમય નથી