રાજ્ય સરકાર દ્વારા જગતના તાતની આપવીતી સાંભળી ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામા આવ્યા છે. રાજ્યમાં વરસાદથી નુકસાન થયેલ પાક અંગેની સહાયમાં સરકાર દ્વારા વધારો કરવામા આવતા ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો. 5.95 લાખ ખેડૂતો માટે સરકાર દ્વારા 3795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
એક ઇંચથી વધારે વરસાદ પડેલા 125 તાલુકાના 9416 ગામમાં ખાતેદારના ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રુપિયાની ચુકવણી કરવામાં આવશે. એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તેવા ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચૂકવણી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.