નવી દિલ્હીઃ નાણાં મંત્રાયલે શુક્રવારે કહેવામાં આવ્યું છે કે, એક લાખ કરોડતી વધારે મૂલ્યના 500 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી રહી છે. પ્રિટિંગ પ્રેસમાં 500 રૂપિયાના અંદાજે 2 કરોડ 20 લાખ નોટ રોજના છાપવામાં આવી રહ્યા છે.
સિક્યુરિટી પ્રિંટિંગ મિટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ SPMCIL) ના સીએમડી અને આર્થિક મામલોના વિભાગમાં સંયુક્ત સચિવ પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, એક લાખ કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યોના 500 રૂપિયાની નવી નોટ પહેલા જ છાપી દેવામાં આવી છે. 500 રૂપિયાના 2.2 કરોડની નોટ પ્રતિદિન છાપવામાં આવી રહી છે.
આ અંગેની જાણકારીSPMCIL ના 11 માં સ્થાપના દિવસે સમારોહમાં આવી હતી. SMCIL ના ચાર એકમો છે જેમાથી જેમા ચાર મિંટ, ચાર પ્રેસ તથા એક પેપર મિલ છે.
એક આરટીઆઇમાં મળેલી માહિતી મુજબ ખુલાસો થયો છે કે, ગયા વર્ષે 8 નવેમ્બરે જ્યારે નોટબંધી થઇ ત્યારે ભારતીય રિજર્વ બેન્ક પાસે 2,000 રૂપિયાના 4.95 લાખ કરોડ નોટ આવી હતી. ત્યારે આરબીઆઇ પાસે 500 રૂપિયાની એક પણ નવી નોટ નહોતી. તેને બાદમાં છાપવામાં આવી હતી.