વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થોડા દિવસો પછી થવાનું છે. જેની તારીખ 8મી એપ્રિલ, સોમવાર છે.

ચૈત્ર અમાસના દિવસે સૂર્યગ્રહણનો સંયોગ બની રહ્યો  છે. તેમજ સૂર્યગ્રહણના બીજા દિવસે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે.

નવરાત્રિનો પ્રારંભ 9 એપ્રિલ મંગળવારથી થશે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

આ વખતે સૂર્યગ્રહણ 8 એપ્રિલના રોજ રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને 9 એપ્રિલના રોજ રાત્રે 1:20 વાગ્યે સમાપ્ત થશે.

નવરાત્રિ પર સૂર્યગ્રહણની અસર

વાસ્તવમાં નવરાત્રિ પર સૂર્યગ્રહણની કોઈ અસર નહીં થાય. નવરાત્રિના દિવસે કળશસ્થાપન યોગ્ય રીતે કરી શકાય છે.

કારણ કે સૂર્યગ્રહણ રાત્રે 1:20 વાગ્યે સમાપ્ત થશે અને તેના કારણે નવરાત્રિ પર ગ્રહણની કોઈ અસર નહીં થાય. આ સાથે જ તમામ શુભ કાર્યો પર શરૂ થશે.

ચાલો જાણીએ કઈ રાશિ માટે ચૈત્ર નવરાત્રિ શુભ માનવામાં આવે છે.......

મેષ રાશિ

આ નવરાત્રિ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. માન-સમ્માન પ્રાપ્ત થશે. વેપારમાં પ્રગતિ થશે અને સાથે સ્વાસ્થ પણ સારું રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે નવરાત્રિથી સારા દિવસોની શરૂઆત થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. સાથે સંબંધો પણ મજબૂત બનશે.

મીન રાશિ

નવરાત્રિના કારણે મીન રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે. વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો. નોકરી કરતા લોકોને સકારાત્મક પરિણામ મળી શકે છે અને સાથે આવકમાં પણ વધારો થશે.