દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, જેના પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.

આ વખતે રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય ઓડિશાના મુખ્યમંત્રી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

માહિતી અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં 33 ઉમેદવારો હતા જેઓ બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. આ સિવાય નરેદ્ર મોદીએ 2014માં પણ બે બેઠેકો પરથી ચૂંટણી લડી હતી.

આવી સ્થિતિમાં ચોક્કસ પણે મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે એક ઉમેદવાર કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?

1996 સુધી, વ્યક્તિ ગમે તેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકતી હતી, પરંતુ તે એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકતી હતી.

જો કે, 1996માં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વ્યક્તિ માત્ર બે બેઠકો પરથી જ ચૂંટણી લડી શકે છે, પરંતુ માત્ર એક બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

જો ઉમેદવાર બંને બેઠકો જીતે છે તો તેણે એક બેઠક પરથી રાજાનામું આપવું પડશે.

તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, સોનિયા ગાંધી, માયાવતી જેવા નેતાઓ  પણ એકથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડ્યા છે.