આપણા સ્વાસ્થ્ય માટે ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘર હોય કે ઓફિસ, એવા ઘણા લોકો છે જેમને ખાધા પછી ઊંઘ આવે છે.  શું ઊંઘ આવવી સામાન્ય વાત કહેવાય ?

હવે પ્રશ્ન એ છે કે ખોરાકમાં એવું  શું હોય છે, જેના પછી લોકોને થાક અને ઊંઘ આવે છે. શું આની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય છે કે પછી તે કોઈ રોગની નિશાની છે?

એક મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે ખોરાક લીધા બાદ થાક અને ઊંઘ આવવી એક સામાન્ય બાબત છે.  ઊંઘ આવવી એ કોઈ રોગની નિશાની નથી.

સંશોધનોએ બતાવ્યું છે કે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક  અન્ય ખાદ્ય પદાર્થો કરતાં વધુ ઊંઘનો અનુભવ કરાવે છે.  વ્યક્તિ ખાધા પછી થાક અનુભવે છે તેના કારણે તેનું શરીર વધુ સેરોટોનિન ઉત્પન્ન કરે છે. 

સેરોટોનિન એ એક રસાયણ છે જે મૂડ અને ઊંઘના ચક્રને નિયંત્રિત કરે  છે. ઉચ્ચ પ્રોટીન ખોરાકમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ  હોય છે જે શરીરમાં સેરોટોનિન ઉત્પન્ન  કરે છે. કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ટ્રિપ્ટોફન શોષવામાં મદદ કરે છે. આ કારણોસર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ બંનેને કારણે લોકોને ઊંઘ આવવા લાગે છે.

આથી ખોરાક લીધા બાદ લોકોને ઊંઘ આવતી હોય તો તે શરીરની એક કુદરતી પ્રક્રિયા હોવાનું વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. આથી જો તમારી સાથે પણ આવું થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.