સુમોના ચક્રવર્તીએ લાંબા સમય બાદ કપિલ શર્માના નવા શોનો ભાગ ન બનવા પર પ્રતિક્રિયા આપી છે.

લોકપ્રિય ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ કોમેડિયન કપિલ શર્મા સાથે 'કોમેડી સર્કસ'થી 'ધ કપિલ શર્મા શો' સુધી કામ કર્યું છે.

પરંતુ જ્યારે કપિલ શર્માના નવા શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં  દર્શકોએ સુમોના ચક્રવર્તીને જોઈ ન હતી, ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે આ વખતે સુમોના આ શોમાં કેમ જોવા નથી મળી.

સુમોના ચક્રવર્તીને આ વિષય પર  ઘણી વખત પૂછવામાં આવ્યું પરંતુ સુમોનાએ અત્યાર સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.

જો કે, હવે સુમોનાએ ખુલાસો કર્યો છે કે જ્યારે કપિલે નેટફ્લિક્સ કોમેડી શો માટે તેનો સંપર્ક કર્યો ન હતો, ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

અભિનેત્રીએ કહ્યું કે તેણે પોતાની મરજીથી શો છોડ્યો નથી.

મીડિયા રિપોર્ટ્સના એક અહેવાલ મુજબ સુમોનાએ કહ્યું, 'જ્યારે કપિલે તેના શો માટે તેનો સંપર્ક ન કર્યો ત્યારે તે ચોંકી ગઈ અને ગુસ્સે થઈ ગઈ.

સુમોનાએ વધુમાં કહ્યું કે, 'તેને આશા હતી કે શોના ડિજિટલ વર્ઝન માટે સમગ્ર કાસ્ટને જાળવી રાખવામાં આવશે, પરંતુ તેને કપિલ તરફથી કોઈ કોલ આવ્યો ન હતો.'

સુમોનાને હંમેશા લાગતું હતું કે શોમાં તેની ડાયલોગ ડિલિવરી અને સ્ટાઈલને લઈને કરવામાં આવતા જોક્સને ગંભીરતાથી લેવામાં આવશે. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આવું થશે.