ભારતીય ક્રિકેટરો રાહતનો શ્વાસ લઈ શકે છે. જસપ્રિત બુમરાહે તેની નિવૃત્તિની યોજના જાહેર કરી છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી તરત જ રોહિત શર્મા અને 24 કલાકની અંદર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું.

ત્યારથી જસપ્રીત બુમરાહને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી.

ભારતીય ટીમે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી.

ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ ભારત આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી ટીમે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લીધો હતો.

મરીન પોઈન્ટથી શરૂ થયેલી વિજય પરેડ વાનખેડે સ્ટેડિયમ પર રોકાઈ હતી, જ્યાં ટીમના સન્માન સમારોહની તૈયારીઓ થઈ ચૂકી હતી.

આ જ સમારોહમાં બુમરાહે નિવૃત્તિની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

જસપ્રીત બુમરાહે વિજયની ઉજવણીમાં પોતાની નિવૃત્તિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું,  નિવૃત્તિ હજુ દૂર છે. મેં હમણાં જ શરૂઆત કરી છે.