તુલસી એક ખુબ જ પવિત્ર છોડ છે. શાસ્ત્રોમાં તેને માત્ર છોડ નહીં પરંતુ સાક્ષાત માં સક્ષ્મીનું રુપ માનવામાં આવે છે.

તુલસીનો છોડ એ માં લક્ષ્મીનું રૂપ છે જેમને પ્રાચીન કાળમાં વૃંદાના નામથી ઓળખવામાં આવતા હતા. આ કારણથી તુલસીનો છોડ અત્યંત પૂજનીય માનવામાં આવે છે.

તુલસીના છોડની રોજ પૂજા કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે તુલસીના છોડનું ક્યારે પણ અપમાન ના કરવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના પાદળાનું પડવું, તુલસીનું મુરઝાઈ જવું કે તુલસીનો ખીલેલો છોડ પણ કોઈ ખાસ સંકેત આપે છે.

જ્યોતિષોનું માનવામાં આવે તો તુલસીનો છોડ સારો સમય આવે તે પેલા કાંઈક સંકેત આપે છે. ચાલો જાણીએ તે સંકેત વિશે....

કહેવામાં આવે છે કે તુલસીનો છોડ અચાનક ખીલી જાય તો ખુબ જ શુભ સંકેત છે. તુલસીના છોડનું ખીલેલો હોવો તે કોઈ મોટી ખુસખબર આવાનો સંકેત છે.

માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ ખીલેલો રહેતો હોય, ત્યાં શ્રીહરી અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આવા ઘરમાં સદૈવ સુખ- સમૃધ્ધિનો વાસ રહે છે.

એમાં, તુલસીના છોડની પાસે નાના-નાના છોડ ઉગી જાય તો પણ ખુસીઓનો સારો સંકેત માનવામાં આવે છે.

આવા સંકેત ઘરમાં ઘન આવાનો સંકેત આપે છે, સાથે ઘરમાં જલ્દી માં લક્ષ્મીનો વાસ પણ થાય છે.