સ્મશાન મૃતદેહોના અંતિમ સંસ્કારનું સ્થાન છે. અંતિમ સંસ્કાર પછી, લોકો મૃતકની આત્માની શાંતીની પ્રાર્થના કરી પાછા ફરે છે.

સ્મશાનથી પરત ફરતી વખતે કેટલાક ખાસ ઉપાયો કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

1. જો તમારુ જીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે, તો અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાંથી પાછા ફરતી વખતે, તમારી પાછળ કેટલાક સિક્કા ફેંકી દો. ઘરે ગયા પછી સ્નાન કરો. આ ઉપાયો કરવાથી અષ્ટમ ગ્રહ શાંત થાય છે.

2. જો તમે રોગોથી પરેશાન છો અને દવાઓએ કામ કરાવાનું બંધ કરી દીધું છે, તો રાત્રે સુતા પહેલા તમારા પલંગની પાસે તાંબાનો સિક્કો રાખો.  આ સિક્કાને સવારે કોઈ સ્મશાન ગૃહમાં મુકી આવો.

3.જો તમારા બઘા પ્રયત્નો કરવા છતાં પણ તમારી પરેશાનીઓ ઓછી ન થઈ રહી હોય, તો સ્મશાનનું પાણી લાવો, તેમાં ચાંદીનો ચોરસ ટુકડો મુકીને ઘરની પૂર્વ દિશામાં રાખો.  આ ઉપાયથી કામમાં આવતી અડચણોનો નાશ થાય છે