યુટ્યુબર અરમાન મલિક, જેની બે પત્નીઓ છે તે આ દિવસોમાં બિગ બોસ OTT-3 માટે આવ્યા બાદ ચર્ચામાં છે. આ શૉ પછી તે અને તેની બંને પત્નીઓ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલના નિશાના પર છે.

અરમાન તેની બંને પત્નીઓ સાથે શૉમાં પહોંચ્યો હતો, જેમાંથી તેની પહેલી પત્ની પાયલ શૉમાંથી બહાર થઈ ગઈ હતી.

ઘરની બહાર આવ્યા બાદ હવે પાયલે તેના પતિ અરમાન મલિકને છૂટાછેડા આપવાની વાત કરી છે.

પાયલના આ નિવેદન પછી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અરમાન મલિકનું ઘર-સંસાર ઉજડી જશે.

બિગ બોસ OTT-3ના પહેલા અઠવાડિયે આઉટ થયેલી પાયલ મલિકે કહ્યું છે કે, છૂટાછેડા લઈને અરમાન મલિકથી અલગ થવા માંગે છે. આ વાતથી તેમના ફેન્સ હેરાન થઈ ગયા છે.

ખરેખર ઘરની બહાર આવ્યા પછી પાયલને તેના લગ્નને લઈને સતત નફરત અને ટ્રોલિંગનો સામનો કરવો  પડી રહ્યો છે. આ બધાની વચ્ચે પાયલે કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેને જે નફરત મળી રહી છે તેની અસર તેના બાળકો પર પણ થવા લાગી છે અને હવે તે આ બધું સહન નહીં કરી શકે.

પાયલ મલિકે તેના વ્લોગમાં અરમાન મલિકથી છૂટાછેડાની વાત કરી છે. તેણે કહ્યું કે- ‘હું આ ડ્રામા અને નફરતથી કંટાળી ગઈ છું. જ્યાં સુધી તે મારા વિશે હતું ત્યાં સુધી હું ઠીક હતી પરંતુ હવે આ નફરત મારા બાળકો સુધી પહોંચવા લાગી છે.