છત્તીસદઢના સરગુજા જિલ્લામાં મૈનપાટ નામનું એક પ્રખ્યાત ગામ છે. તેને છત્તીસગઢનું શીમલા કહી શકાય.

મૈનપાટનું લોકપ્રિય સ્થળ ‘ઊલ્ટા પાની’ છે. નામની જેમ અહીંના પાણીનો પ્રવાહ પણ નીચે તરફ નહીં પરંતુ ઊપરની તરફ એટલે કે ઊંચાઈ તરફ છે.

જો કોઈ અહીંયા વહેતા પ્રવાહમાં પાન મુકે છે, તો તે ઢોળાવ પર જવાને બદલે ઉપર તરફ વહે છે.

કેટલાક લોકો તેને ચમત્કાર માને છે, જ્યારે અન્ય લોકો માને છે કે અસરકારક ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થઈ રહ્યું છે.

મૈનપાટની આ જગ્યાએ, ગુરૂત્વાકર્ષણ બળ કરતા વધુ અસરકારક ચુંબકીય ક્ષેત્ર છે, જે પાણી અથવા વાહનને ઉપર તરફ ખેંચે છે.

થોડા વર્ષો પહેલા આ સ્થળને લોકો ભૂતિયા સ્થળ માનતા હતા. પ્રવાસન વિભાગના પ્રચાર પછી લોકોમાં જાગૃતિ વધી.

છત્તીસગઢમાં ઊલ્ટા પાનીની જેમ ગુજરાત, લેહ-લદ્દાખ અને કાલો ડુંગરમાં પણ આવી જ વસ્તુ જોવા મળે છે.