વરસાદી મોસમના કારણે રાજ્યભરમાં શરદી, ઉધરસ અને તાવના કેસ સતત વધી રહ્યા છે.

શરદી અને તાવ તો દવા કર્યા પછી મટી પણ જાય છે. પરંતુ જો ઉધરસ થઈ જાય તો ઘણા દિવસો સુધી મટતી નથી.

પરંતુ ઘણી વખત એવું પણ થાય છે કે રાત્રે અચાનક જ ઉધરસ શરૂ થઈ જાય અને તેના કારણે ઊંઘ પણ બગડે છે.

ઘણા લોકો એવા હોય છે જેમને દિવસ કરતા વધારે ઉધરસ રાત્રે આવે છે. રાત્રે પથારીમાં સુતાની સાથે જ ઉધરસ શરૂ થઈ જાય છે.

ચાલો આપણે જાણીએ ઉધરસ મટાડવા માટે ઘરેલુ ઉપાય

ગળામાં થતી બળતરા અને ખંજવાળને શાંત કરવા માટે અને ઉધરસ મટાડવા માટે મધ પીવું જોઈએ.

આદુની ચા પીવાથી ઉધરસ અને ગળામાં થતી સમસ્યાથી રાહત મળે છે કારણ આદુમાં એન્ટી ઇન્ફોમેટ્રી ગુણ હોય છે.    

ઉધરસ થઈ ગઈ હોય તો લસણની કળીને ચાવીને ખાઈ લેવી કારણ કે લસણ એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે  .

ઉધરસ માટે હળદર રામબાણ ઈલાજ સાબિત થાય છે. ઉધરસ થઈ ગઈ હોય તો હળદરવાળું ગરમ દૂધ પીવું જોઈએ.

ઉધરસ થઈ ગઈ હોય તો દિવસમાં ત્રણથી ચાર વખત હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરવા જોઈએ.

સ્ટીમ લેવાથી પણ નાક અને ગળામાં જામેલો કફ છૂટો પડે છે. જેના કારણે ઉધરસથી પણ રાહત મળે છે.