ભાદરવા સુદ અગિયારસે એટલે કે 14 સપ્ટેમ્બરે પરિવર્તિની અગિયારસનું વ્રત કરવામાં આવશે. પરિવર્તિની અગિયારસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો શુભ સંયોગ બનશે.

આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. પરિવર્તિની એકાદશીને પદ્મ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ અગિયારસે કેટલાક ઉપાયો કરી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવો.

પરિવર્તિની અગિયારસે પીપળના ઝાડ નીચે ચારે બાજુ ઘીનો દીવો કરવો. માન્યતા મુજબ, પીપળાનાં ઝાડમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

પીપળાની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે, સાથે જ ધનની પ્રાપ્તિ થશે.

આ દિવસે ગાય માતાની સેવા કરવી જોઈએ. માન્યતા છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે.

તમે સ્વસ્થ આરોગ્ય માટે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરી પીળી મીઠાઈ પણ ચઢાવો. ભગવાન વિષ્ણુનો મંત્ર જાપ કરી પુણ્ય એકત્રિત કરો.