માનવ ઇતિહાસમાં, ઇજિપ્તીયન, ગ્રીક અને રોમન યુગથી ન્યાયની દેવીનો ઉલ્લેખ છે, જેમના એક હાથમાં તલવાર, બીજા હાથમાં ત્રાજવા અને આંખે પટ્ટી હતી.

વિશ્વના ઘણા દેશોમાં, ન્યાયની દેવીની મૂર્તિને આ પૌરાણિક પાત્રોના આધારે પ્રચલિત માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ કોર્ટ રૂમ, ન્યાય પુસ્તકો વગેરેમાં છે.

તાજેતરમાં, ભારતની સર્વોચ્ચ અદાલતમાં 'ન્યાયની દેવી'ની પ્રતિમામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ પ્રતિમા પરની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. 

સાથે જ હાથમાં તલવારને બદલે ભારતના બંધારણની નકલ રાખવામાં આવી છે.

ન્યાયની દેવી તેના હાથમાં ત્રાજવા અને તલવાર અને આંખે પાટા સાથે ન્યાય પ્રણાલીમાં નૈતિકતાનું વિશેષ પ્રતીક માનવામાં આવે છે.

જેમ ભગવાન દરેકને સમાન રીતે જુએ છે અને ભેદભાવ નથી કરતા, તેવી જ રીતે ન્યાયની દેવી પણ પોતાની આગળ કોઈને નાનો કે મોટો નથી માનતી.

ન્યાયની દેવીના હાથમાં ત્રાજવાનો ખ્યાલ ઇજિપ્તની સંસ્કૃતિમાંથી આવ્યો હોવાનું કહેવાય છે.

ઇજિપ્તમાં, ત્રાજવાનું પ્રતીક ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે જે સંતુલનનું પ્રતીક પણ છે.

તે દર્શાવે છે કે ન્યાય કરતી વખતે બંને પક્ષોને સમાન રીતે સાંભળવામાં આવે છે.