વિરાટ કોહલીએ T20I માંથી નિવૃત્તિ કેમ લીધી? 10 મહિના પછી તોડ્યું મૌન 

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 2024 ના T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

કોહલીએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમની ટાઇટલ જીત પછી, કોહલી ઉપરાંત, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ T20 ને અલવિદા કહ્યું.

હવે 10 મહિના પછી, વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

કોહલીએ કહ્યું કે તે 2026 ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને પરિપક્વ થવા માટે બે વર્ષ આપવા માંગે છે.

કોહલીએ RCBના પોડકાસ્ટમાં કહ્યું, 'મને નથી લાગતું કે મારા માટે કોઈ પણ રીતે પરિસ્થિતિ બદલાઈ છે.

T20 છોડવાનો નિર્ણયે સમજીને લેવામાં આવ્યો હતો કે ખેલાડીઓનો એક નવો જૂથ તૈયાર છે અને તેમને સમયની જરૂર છે.

કોહલી કહે છે, 'નવા ખેલાડીઓને દુનિયાના વિવિધ ભાગોમાં એડજસ્ટ થવા, દબાણનો સામનો કરવા અને રમવા માટે બે વર્ષ લાગે છે.

જેથી જ્યારે વર્લ્ડ કપ આવે ત્યારે તેમને લાગે કે તેઓ તૈયાર છે.

વિરાટ કોહલીએ ભારત માટે 125 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 48.69 ની સરેરાશથી 4188 રન બનાવ્યા.

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કોહલીએ 10 મેચમાં 63.28 ની સરેરાશથી 443 રન બનાવ્યા છે.