Gandhinagar/ ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળી બેઠક, ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો મેળવ્યો તાગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 25T153636.968 ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળી બેઠક, ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો મેળવ્યો તાગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે ખસેડવા  આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે  માહિતી પ્રાપ્ત કરી હતી.

માહિતી અનુસાર  જે જગ્યા પર પાણી ભરાયેલા છે ત્યાં પાણીનો નિકાલ થાય અને અને વરસાદ અટકે એટલે માટી,કાંપની સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ તથા પડી ગયેલા ઝાડને  દૂર કરવાના કામો અંગે મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી. તેમજ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેવું જણાવ્યું હતું.

હવામાન વિભાગની આપેલી જાણકારી અનુસાર આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેમને સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા પહેલેથીજ આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.

હાલ વરસાદે માજા મૂકી છે ત્યારે વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિને સ્થિર કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.જેમાં માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.

આ હેતુસર જરૂર નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ જલ્દી સુધારવા તેમજ તેનું સમારકામ કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને પણ જાણકારી આપી  હતી.રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા અને ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ તેમણે કરી હતી.

માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.

NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદના બોરસદમાં વરસાદને કારણે એકનું મોત, વરસાદે સર્જી તારાજી

 આ પણ વાંચો:વડોદરામાં જામ્બુવા ગામમાં બ્રિજ પર ST બસ ફસાઇ, મુસાફરોએ માર્યા બસને ધક્કા

 આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી કાંસમાં મગર દેખાયા