અમદાવાદ,
અમદાવાદમાં વી.એસ હોસ્પિટલની નવી બિલ્ડીંગની મુલાકાતે સીએમ વિજય રૂપાણી આવવાના હતા. પરંતુ આ કાર્યક્રમ રદ્દ થાય તેવી શક્યાત છે અને સીએમ વિજય રૂપાણી નરેશ પટેલ સાથે મુલાકત કરે તેવી શક્યતા છે. હાર્દિકના ઉપવાસને લઇને સીએમ વિજય રૂપાણી નરેશ પટેલ સાથે મુલાકાત કરી શકે છે.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે આજે કોઈ નિષ્કર્ષ આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે. મુલાકાત પહેલા જ નરેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે તેમનો આગ્રહ રહેશે કે હાર્દિક પટેલ પારણા કરી લે. બીજી તરફ ગાંધીનગર ખાતે નરેશ પટેલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે.
પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાના આંદોલનમાં પાટીદાર સંસ્થાના સી.કે. પટેલ સામે ભારે વિરોધ થતા ખોડલધામના નરેશ પટેલનું નામ ઉભર્યુ છે ખોડલધામના દિનેશ કુંભાણી અને ટીમ બંને પક્ષે ચર્ચા કરી રહી છેઃ..આજે હાર્દિક પટેલને નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સમાજને હાર્દિકની ચિંતા છે..અને હું હાર્દિક સાથે વાતચીત કરીશ તેમજ હાર્દિક જલ્દીથી પારણાં કરે તેવો પ્રયાસ કરીશ અને માતાજીને પ્રાર્થના કરીશ કે હાર્દિક આજે જ પારણાં કરે.
નરેશ પટેલની મધ્યસ્થીની વાત બાદ હાર્દિક પટેલે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, મેં કોઈને વ્યક્તિગત રીતે મધ્યસ્થી કરવા નથી કહ્યું અને સમાજના તમામ આગેવાન અને સંસ્થાઓનું સન્માન કરું છું….હું આંદોલનકારી છું….અને તે પણ જણાવ્યું કે, તેને ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે.