Bollywood/ ઐશ્વર્યા રાય બચ્ચને આગામી ફિલ્મનું કર્યું એલાન, 3 વર્ષ બાદ કરશે ધમાકેદાર એન્ટ્રી

‘PS-1’ માં ઐશ્વર્યાની કાસ્ટિંગના સમાચારો ઘણા લાંબા સમયથી સામે આવી રહ્યા હતા, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેણે આની પુષ્ટિ કરી છે….

Entertainment
A 377 ઐશ્વર્યા રાય બચ્ચને આગામી ફિલ્મનું કર્યું એલાન, 3 વર્ષ બાદ કરશે ધમાકેદાર એન્ટ્રી

ઘણા લાંબા સમયથી ઐશ્વર્યા રાય બચ્ચનના ચાહકો તેની સિનેમામાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં મણિ રત્નમની ફિલ્મ ‘PS-1’  એટલે કે ‘Ponniyin Selvan‘થી પરત ફરવા જઇ રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘Ponniyin Selvan’ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ મણી રત્નમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંની એક છે. તે લાંબા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યો છે અને તેનું બજેટ આશરે 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ રીતે, આ ફિલ્મ સૌથી ખર્ચાળ તમિળ ફિલ્મ્સની સૂચિમાં શામેલ થઈ છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે અને તેનો પહેલો ભાગ 2022 માં આવશે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે વિક્રમ, કાર્તિ, જયમ રવિ, ત્રિશા કૃષ્ણન અને મોહન બાબુ જોવા મળશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :વૈદેહી ડોંગરે એ જીત્યો મિસ ઇન્ડિયા યુએસએ 2021 નો તાજ

‘PS-1’ માં ઐશ્વર્યાની કાસ્ટિંગના સમાચારો ઘણા લાંબા સમયથી સામે આવી રહ્યા હતા, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેણે તેના ઓફિશિયલ એકાઉન્ટથી તેની પુષ્ટિ કરી છે. એશની આ પોસ્ટ પર, તેમના ચાહકોએ તેમના પરત આવવાનું હાર્દિક સ્વાગત કર્યું છે.

આ પણ વાંચો : શું શિલ્પા શેટ્ટીના લીધે રાજ કુંદ્રાના પહેલા લગ્ન તૂટ્યા હતા? વાયરલ થયો આ ઈન્ટરવ્યુ…

આપને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે 2018 માં આવેલી ફિલ્મ ફન્ને ખાં માં જોવા મળી હતી, જેમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં એશે લીડ એક્ટ્રેસ ભૂમિકા ભજવી હતી. ‘PS-1’  આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. એટલે કે, એશ ચાર વર્ષ પછી એક ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે 2016 માં આવેલી ફિલ્મ એ દિલ હૈ મુશકિલમાં સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ જોહરે કર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

આ પણ વાંચો :પ્રિયંકાને લાખો રૂપિયાની મોંઘી ગિફ્ટ આપી નિક જોનાસે , વાંચો શું આપ્યું