Dhoraji News/ ધોરાજીમાં ચિતા પર બેસીને ધૂણવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ

ધોરાજીમાં એક વ્યક્તિને ચિતા પર બેસીને ધૂણવાનું અને પછી તેનો વિડીયો વાઇરલ કરવાનું ભારે પડ્યું છે. પોલીસે રાજ્યમાં પહેલી વખત તેની અંધશ્રદ્ધા કાયદા હેઠળની ધરપકડ કરી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 10 18T132753.699 ધોરાજીમાં ચિતા પર બેસીને ધૂણવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ

Dhoraji: ધોરાજીમાં એક વ્યક્તિને ચિતા પર બેસીને ધૂણવાનું અને પછી તેનો વિડીયો વાઇરલ (Video Viral) કરવાનું ભારે પડ્યું છે. પોલીસે રાજ્યમાં પહેલી વખત તેની અંધશ્રદ્ધા કાયદા હેઠળની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું હતું કે ધૂણવું ગુનો નથી, પરંતુ તેનો આ રીતે પ્રચાર કરવો તે એક રીતે અંધશ્રદ્ધાનો પ્રચાર કરવા બરાબર હોવાથી અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

ધોરાજીના સ્મશાનમાં એક વ્યક્તિ ચિતા પર બેસીને ધૂણવા લાગ્યો હતો. જે પછી તેણે કાળા કપડામાંથી કેટલીક ધાર્મિક સામગ્રી કાઢીને પૂજા કરી, ત્યારબાદ તેણે ફરીથી ધૂણવાનું શરૂ કર્યું. તેણે આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેનો વિડીયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ પછી, પોલીસે તેની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે આરોપીને જામીન આપ્યા.

Beginners guide to 2024 10 18T132932.341 ધોરાજીમાં ચિતા પર બેસીને ધૂણવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ

નવો કાયદો બન્યો ત્યારે ધૂણવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આખરે સરકારે સ્પષ્ટતા કરવી પડી કે જ્યારે ધૂણવાનો મુદ્દો આ કાયદા હેઠળ આવરી લેવામાં આવતો નથી, તો પછી વાયરલ વીડિયોમાં ધૂણનાર અને અન્ય કોઈ વ્યક્તિ ધૂણનાર કરે તેમાં શું તફાવત છે? આ સમજવા માટે પોલીસ, આરોપીને એક જ દિવસમાં જામીન મેળવનાર વકીલ સાથે વાતચીત કરાઈ હતી.

ધોરાજી પોલીસે માહિતી મુજબ આરોપીનું નામ અશ્વિન મકવાણા છે અને તે ધોરાજીના વાલ્મીકીવાસમાં રહે છે. તે મ્યુનિસિપાલિટીમાં કોન્ટ્રાક્ટ પરના સેનિટેશન વર્કર હોવાનો દાવો કરે છે, પરંતુ કોઈ આઈડી કાર્ડ બતાવી શક્યો નથી. આરોપી પરિણીત છે.

Beginners guide to 2024 10 18T133037.587 ધોરાજીમાં ચિતા પર બેસીને ધૂણવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ

પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, તેણે કબૂલાત કરી હતી કે તેણે અગાઉ પણ આવી ધાર્મિક વિધિઓ કરી હતી, પરંતુ ક્યારેય તેનો પ્રચાર કર્યો ન હતો. આ વખતે તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આરોપીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેને ડિલીટ પણ કરી દીધો, જેના કારણે તેની સામે પુરાવાનો નાશ કરવાની કલમ પણ લગાવવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે આરોપી આવી ધાર્મિક વિધિઓ કરીને પોતાને પ્રોત્સાહન આપતો હતો. જેના કારણે તેમના પર નવા કાયદા મુજબ કલમ લગાવવામાં આવી છે. જે વ્યક્તિ અંગત રીતે પોતાની આસ્થાના ભાગરૂપે ધર્મનું પાલન કરે છે તેનો વાંધો નથી, પરંતુ જો તે તેનો પ્રચાર કરે તો તેની સામે આ કાયદા હેઠળ ગુનો નોંધી શકાય છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અશ્વિન ઝાલા XI પર પોસ્ટ કરી છે,  જેના દ્વારા તે પોતાનો પ્રચાર ફેલાવવા માંગતો હતો અને લોકોને બતાવવા માંગતો હતો કે તે આ કરી રહ્યો છે તેથી એક રીતે આ અંધશ્રદ્ધા ફેલાવવાનો મામલો છે. નવા કાયદા મુજબ લોકોમાં ભય ફેલાવવો અને અંધશ્રદ્ધા ફેલાવવી એ ગુનો છે.

પોલીસે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં જામીન મળતા નથી પરંતુ આ ગુનામાં આરોપીને નોટિસ આપીને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરી શકાય છે. સમાજમાં આવી પ્રવૃતિઓ ફરી ન કરે તે માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને જામીન આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકના બલિદાનથી શાળાની વધશે ખ્યાતિ, અંધશ્રદ્ધા પીડિત પ્રિન્સિપાલે લીધો માસૂમ બાળકનો જીવ

આ પણ વાંચો: ધ્યાન રાખજો : અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળે, છ મહિનાથી 7 વર્ષ સુધીની કેદ

આ પણ વાંચો: અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ