પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવી રહ્યા છે. આ પરિણામો પહેલા, આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન (અમરિંદર સિંહ) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા છે. આ બેઠક ગૃહમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી.
આ પણ વાંચો:નવાબ મલિકની ED કસ્ટડી પૂર્ણ, કોર્ટે હવે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
જ્યારે મીડિયાકર્મીઓએ તેમને કેપ્ટન અમરિન્દરની આ મુલાકાત અંગે સવાલ કર્યો તો તેમણે જવાબ આપતા કહ્યું કે, મારી અમિત શાહ સાથે સામાન્ય ચર્ચા થઈ છે. પરિણામ આવ્યા બાદ વિગતવાર ચર્ચા થશે. તેમણે કહ્યું કે, અમિત શાહ સાથે પંજાબ પર સામાન્ય ચર્ચા થઈ છે, આ બેઠકને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
Results not here yet. I had a general discussion with HM, there'll be a detailed discussion once the results come in. It was a general discussion on Punjab, not on elections: Captain Amarinder Singh on his meeting with Union Home Minister Amit Shah in Delhi#PunjabElections2022 pic.twitter.com/cWS9tf85qf
— ANI (@ANI) March 7, 2022
જ્યારે મીડિયાએ અમરિન્દરને ગઠબંધનની સ્થિતિ પર સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું પંડિત નથી. હું એવી વ્યક્તિ નથી કે જે આગાહી કરી શકે. અમરિંદરે વધુમાં કહ્યું કે, મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપે પણ સારો દેખાવ કર્યો છે. ચાલો જોઈએ શું થાય છે.
આ પણ વાંચો:માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી, તો સહ આરોપીને આજીવન કેદની સજા
