નિવેદન/ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાગઠબંધનના નેતૃત્વને લઇને કરી આ મોટી વાત…

બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે હવે અમે નીતિશ કુમારના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પડકાર 2024ની ચૂંટણી છે અને અમે તેના માટે લડીશું.

Top Stories India
4 19 બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાગઠબંધનના નેતૃત્વને લઇને કરી આ મોટી વાત...

બિહારમાં હાલ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે મળીને સકરાર ચલાવી રહ્યા છે. બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે,જેની ચર્ચા હાલ દેશમાં ચાલી રહી છે. 2025માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના નેતૃત્વ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું તેજસ્વી યાદવ 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. આ નિવેદન સામે આવતા રાજકીય ચર્ચાઓએ જોર પકડયો છે, શું નીતિશ કુમાર 2024ની લોકસભા માટે આ નિવેદન આપ્યું છે..?

ઉલ્લેખનીય છે કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે હવે અમે નીતિશ કુમારના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પડકાર 2024ની ચૂંટણી છે અને અમે તેના માટે લડીશું.

Jandhan Account/ દેશભરમાં લાખો જનધન ખાતા ડુપ્લીકેટ, હવે મોટી કાર્યવાહીની તૈયારી!