રાજીવ ગાંધી હેલ્થ સાયન્સ યુનિવર્સિટીનાં સિલ્વર જ્યુબિલી પ્રોગ્રામને પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, દેશની આરોગ્ય સેવાઓ ઝડપથી બદલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે, વિશ્વની નજર છે કે ભારત આ ખતરનાક વાયરસ સામે કેવી રીતે લડી રહ્યું છે. તેમણે કહ્યું કે વાયરસ અદૃશ્ય હોઈ શકે પણ આપણા કોરોના યોદ્ધાઓ અજેય છે. ડોકટરો, આરોગ્ય કાર્યકરો ગણવેશ વિના સૈનિક છે.
Prime Minister Narendra Modi inaugurates the Silver Jubilee celebrations of Rajiv Gandhi University of Health Sciences, Karnataka pic.twitter.com/4fpHrX1Uif
— ANI (@ANI) June 1, 2020
પીએમ મોદીએ કોરોના વોરિયર્સ વિરુદ્ધ થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફ્રન્ટલાઈન વર્કર્સ સાથેનાં ખરાબ વર્તનને સહન કરવામાં નહી આવે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે માનવતા સાથે સંબંધિત વિકાસ તરફ જોવું પડશે. આ પ્રસંગે, તેમણે આયુષ્માન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે. બે વર્ષથી ઓછા સમયમાં 1 કરોડ લોકોએ તેનો લાભ લીધો છે. મહિલાઓ અને ગામ લોકો સૌથી વધુ લાભ લે છે.
I want to state it clearly- violence, abuse and rude behaviour against front-line workers is not acceptable: PM Narendra Modi pic.twitter.com/wVVBBvCo1X
— ANI (@ANI) June 1, 2020
પીએમ મોદીએ કહ્યું કે, 22 વધુ એઈમ્સ ખુલી ચુક્યા છે અને ભારત આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 30 હજાર એમબીબીએસ બેઠકો વધી છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 15 હજાર બેઠકોનો વધારો થયો છે.
The country has seen rapid progress in setting up 22 more AIIMS. Over the last five years, we have been able to add over 30,000 seats in MBBS and 15,000 seats in post-graduation: PM Narendra Modi pic.twitter.com/HSdxqDEPpC
— ANI (@ANI) June 1, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.