તાઉ તે એ ગુજરાત ઘમરોળાવા ને વિનાશ વેર્યો છે, અને ખડૂતો ને પણ મોટું નુકસાન જવા પામ્યું છે નુકસાની નો અંદાજ તો સર્વે પછી ખબર પડે પરંતુ વાવાજોડા ને લઈ ને ઘણા ખેડૂતો ના પાક સંપૂર્ણ નાશ પામ્યા છે જેતપુર તાલુકા ના સાંકળી ગામે શેરડી નું વાવેતર કરતા ખેડૂત નો 10 વીઘા નો શેરડી નો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, તારીખ 17 ના રોજ રાત્રે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે તાઉ તે ટકરાયું હતું, 165 કિમિ જેટલા ભારે પવન ની ઝડપ સાથે ટકરાયેલ વાવાજોડા ને લઈ ને સૌરાષ્ટ્ર ના ઘણા ખેડૂતો ના પાક ને નુકસાન જવા પામ્યું છે, જેતપુર તાલુકા ના સાંકળી ગામ ના ખેડૂત નો શેરડી નો પાક નાશ પામ્યો હતો, ભારે પવન ની સામે ઝીક નહીં જીલી શકનાર શેરડી ખેતર માં જ ઢળી ગઈ હતી અને વેરવિખેર થઇ ગઈ હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ખેડૂત સાથે ખાસ વાતચીત કરી હતી, ગત વર્ષે પ્રથમ અતિ વૃષ્ટિ પછી લોકડાઉંન ને લઈ ને ખેડૂત નો પાક વેચાય વગર નો પડી રહયો અને હવે વાવાજોડા એ વિનાશ વેર્યો ત્યારે ખેડૂતો સરકાર સામે તાત્કાલિક સર્વે થાય અને ખેડૂત ની વહારે સરકાર આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યાં છે, અસરગ્રસ્ત ખેડૂત ની સાથે મંતવ્ય ન્યૂઝ ની ખાસ વાત ચિત્ત જોઈ એક રિપોર્ટ