આસામમાં આજે વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો, જેનાથી લોકો ઉંઘીમાંથી સફાળા જાગી ઘરોની બહાર દેડી આવ્યા હતા. આસામના સોનીતપુરમાં સવારે 5.26 કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. જો કે આ કંપનથી સદભાગ્યો કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાનની રાજધાની જયપુરથી 82 કિ.મી. ઉત્તર દિશામાં ગુરુવાર-શુક્રવારે રાત્રે 12.44 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ 3.1નો હતો અને તેનું કેન્દ્ર જયપુરથી 82 કિ.મી. ઉત્તર દિશામાં હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
An earthquake of magnitude 3.5 occurred in Sonitpur, Assam at 5:26 am today: National Center for Seismology pic.twitter.com/eSgmSX3GT7
— ANI (@ANI) August 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….