
પૂર્વ રાષ્ટ્રપતિ અને દિગ્ગજ કોંગ્રેસી પીઠ નેતા પ્રણવ મુખર્જીનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. પ્રણવદાનાં નામથી જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીએ પોતે કોરોના સંક્રમિત થાયની જાણકારી ટ્વીટનાં માધ્યમથી જાતે જ આપી છે.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જીએ નજીકનાં દિવસોમાં જે લોકો તેમની સાથે સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવી પોતાને કોરેન્ટાઇન કરવા માટે વિનંતી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જી કોંગ્રેસીનાં દિગ્ગજ પીઠ નેતા છે અને પૂર્વે દેશનાં સર્વૌચ્ચ સ્થાન રાષ્ટ્રપતિ સહિત નાણામંત્રાલય અને અનેક વિવિધ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. હાલ સક્રિય રાજકારણથી દુર પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જી 84 વર્ષનાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….