Not Set/ લદ્દાખ બોર્ડર પર તણાવ  યથાવત્, 29-30 ની અથડામણમાં થયું ફાયરિંગ, ભારતીય સૈન્ય સક્રિય

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પરનો તણાવ સંપૂર્ણ રીતે ઓછો થયો નથી. સરહદ પર ચીન હલચલ વધારી રહ્યું છે અને ભારત તેના પર નજર રાખી રહ્યું છે. પેંગોંગ બેંકમાં જ્યારે ભારતીય સેનાએ દક્ષિણ બેંક વિસ્તારમાં પોતાની હાજરીમાં વધારો કર્યો ત્યારે ચીને ઉત્તર બેંક પર હાલચાલ વધુ તીવ્ર કરી. પરંતુ તે કોઈપણ પ્રકારની યુક્તિ કરવામાં […]

Uncategorized
2dd17744e8fad964efa43e2b4ebc900c લદ્દાખ બોર્ડર પર તણાવ  યથાવત્, 29-30 ની અથડામણમાં થયું ફાયરિંગ, ભારતીય સૈન્ય સક્રિય
2dd17744e8fad964efa43e2b4ebc900c લદ્દાખ બોર્ડર પર તણાવ  યથાવત્, 29-30 ની અથડામણમાં થયું ફાયરિંગ, ભારતીય સૈન્ય સક્રિય

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પરનો તણાવ સંપૂર્ણ રીતે ઓછો થયો નથી. સરહદ પર ચીન હલચલ વધારી રહ્યું છે અને ભારત તેના પર નજર રાખી રહ્યું છે. પેંગોંગ બેંકમાં જ્યારે ભારતીય સેનાએ દક્ષિણ બેંક વિસ્તારમાં પોતાની હાજરીમાં વધારો કર્યો ત્યારે ચીને ઉત્તર બેંક પર હાલચાલ વધુ તીવ્ર કરી. પરંતુ તે કોઈપણ પ્રકારની યુક્તિ કરવામાં સફળ થઈ શક્યું નહીં.

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, 7-8 સપ્ટેમ્બરની વચ્ચે, ભારતીય સેનાએ હવે તેની ઉપસ્થિતિ સાઉથ બેંકથી ઉત્તર બેંક સુધી વધારી દીધી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ઘણા વિસ્તારોમાં ભારતીય સ્થિતિમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આ દરમિયાન કેટલાક ચેતવણીના શોટ પણ છોડવામાં આવ્યા.

સૂત્રોના જણાવ્યા મુજબ, 29 અને 31 ઓગસ્ટની વચ્ચે ઘર્ષણ અને ઘુસણખોરીના પ્રયાસો થયા હતા, પેંગોંગ તળાવના દક્ષિણ છેડે ફાયરિંગ થયું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ ચીનને ઘુસણખોરી કરતા અટકાવ્યું. તે પછી પણ ત્યાં ફક્ત ચેતવણીના શોટ જ હતા. આ સમય દરમિયાન, લાઇટ મશીનગન અને એસોલ્ટ રાઇફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી પણ બોર્ડર પર ચેતવણી આપવાની કેટલીક ઘટનાઓ બની હતી.

map china 0 લદ્દાખ બોર્ડર પર તણાવ  યથાવત્, 29-30 ની અથડામણમાં થયું ફાયરિંગ, ભારતીય સૈન્ય સક્રિય

આપને જણાવી દઈએ કે મે મહિનાથી તણાવની સ્થિતિ યથાવત્ છે. પરંતુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ફાયરિંગની ઘટનાએ વાતાવરણ બગાડ્યું હતું. મંગળવારે રાજનાથ સિંહે લોકસભામાં આ સમગ્ર મુદ્દે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ચીને કરારના ભંગ કરી સરહદ પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત શાંતિ અને વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવા માંગે છે. પરંતુ ભારતની સેના કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. રાજનાથ સિંહ વતી કહેવામાં આવ્યું હતું કે ચીને વારંવાર કરારોનું ઉલ્લંઘન કર્યું છે.

જણાવી એ કે, ભારતીય દળોએ લોન્ગ હોલ તૈયાર કર્યા છે અને હવે સરહદ શિયાળા માટે તૈયાર થઈ રહી છે. સતત તંબુ, કપડાં અને રાશન બોર્ડર પર મોકલવામાં આવી રહ્યા છે, જેથી બરફવર્ષા પહેલા તમામ વ્યવસ્થા કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.