ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પડઘમ વાગવાની તૈયારીઓ ચાલી રહી છે અને ચૂંટણીઓની તારીખોનું એલાન થવાની છે, ત્યારે આ ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે પ્રચાર પ્રસારના શ્રીગણેશ કરાયા છે.
આ સ્થિતિમાં કોંગ્રેસે હવે આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કોંગ્રેસે મોરૈયા જિલ્લા પંચાયતની સીટ માટે મટોડા ગામથી પ્રચારનો પ્રારંભ કરાયો છે.
સોમવારે આ અભિયાનની શરૂઆત રાજીવ સાતવ અને અમિત ચાવડાએ મટોડા ગામથી કરી છે અને આ અભિયાન હેઠળ રાજ્યના દરેક મહાનગર અને ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક કરાશે.
આ અભિયાન હેઠળ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે અને રાજ્યમાં લોકોને પડી રહેલી તકલીફોને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ જનસંપર્ક અભિયાન હેઠળ રાજીવ સાતવે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…