Rajkot News/ રાજકોટ રૈયાધારમાં તંત્રનું ડિમોલીશન : રૂપિયા 50 કરોડની સરકારી જમીન પરનાં દબાણો દૂર

Rajkot News : રાજકોટ રેવન્યુ તંત્રએ અગાઉ નોટિસો આપવા છતાં સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવાતા કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. સર્વે નં. 156 પૈકીની 5 હજાર ચો.મી. જમીન ઉપર સર્વિસ સ્ટેશન, ગેરેજ, વંડા સહિતના દબાણો ખડકાય ગયા હતા.

Gujarat Rajkot Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 12 04T181618.531 રાજકોટ રૈયાધારમાં તંત્રનું ડિમોલીશન : રૂપિયા 50 કરોડની સરકારી જમીન પરનાં દબાણો દૂર

Rajkot News : રાજકોટ (Rajkot) તાલુકા મામલતદાર દ્વારા કોઠારી રોડ ઉપરની અને પૂર્વ મામલતદાર દ્વારા રેલનગર, સરવૈયા ચોકમાંથી લાખો રૂપિયાની સરકારી જમીનો ઉપરથી દબાણો હટાવી દેવામાં આવેલ હતા અને આ દબાણ હટાવ ઝુંબેશ  હજુ પણ શહેર અને જિલ્લામાં યથાવત છે. ત્યારે આજરોજ સવારે પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી સરકારી જમીન ઉપર ખડકાય ગયેલા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતા.

રાજકોટ(Rajkot)ના પશ્ચિમ મામલતદાર અને તેની ટીમે રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ દબાણો આજરોજ હટાવી લેવામાં આવેલ હતા. આ અંગેની મામલતદાર કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રૈયા સર્વે નં. 156 પૈકીમાં શ્રીજી પાર્ક, કામેશ્વર હોલની સામે આવેલી અને યુ.એલ.સી. ફાજલ એવી પાંચ હજાર ચો.મી. જમીન કે, જેની વર્તમાન બજાર કિંમત રૂા. 50 કરોડ થઈ જાય છે. તેનાં ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર ગયેલા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર  ફેરવી દેવાયું હતું.

જમીન ઉપર સર્વિસ સ્ટેશન, ગેરેજ, વંડા સહિતના સાત દબાણો લાંબા સમયથી ઉભા કરી દેવાયા હતા અને આ દબાણકર્તાઓને રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ તાજેતરમાંથી પશ્ચિમ મામલતદારે કલમ-61 હેઠળની દબાણો હટાવી દેવાની નોટિસો ફટકારી હતી. આમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવવા આજરોજ સવારે કલેકટરનાં આદેશ મુજબ મામલતદાર અને તેની ટીમે દબાણો ઉપર બુલડોઝર ફેરવી આપી કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુકત  કરાવી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટઃ ગેરકાયદેસર દબાણ હટાવવાનો આદેશ ગેરકાયદેસર દબાણ હટાવવા કમિશ્નરનો આદેશ મનપાની જગ્યામાં દબાણ તોડી પાડવામાં આવશે રાજકોટ મનપા કમિશ્નરે કર્યા તોડવાના આદેશ 65 દિવસ દબાણ હટાવવાની કામગીરી કરાશે છોટુનગર વિસ્તારમાં શૂલભ શૌચાલયમાં કરાયું દબાણ

આ પણ વાંચો: રાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચો: રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબિગનો ગુનો નિવૃત શિક્ષિકાના પ્લોટમાં મકાન બનાવી દબાણ 7 વ્યક્તિઓએ મકાન બનાવી લીધાની ફરિયાદ 7 પૈકી 2 લોકોએ જગ્યા ખાલી કરી જમીન સમજૂતી કરાર મારફતે જગ્યા ખાલી કરી મહિલા સહિત 5 લોકો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો 5 લોકોએ જગ્યા ખાલી ન કરતા પો. ફરિયાદ 5 પૈકી 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા નારણ પુરબિયા, સંજય વાઘેલાની ધરપકડ બટુક વાઘેલાની કરવામાં આવી ધરપકડ 2 આરોપીઓની શોધખોળ હજુ પણ શરૂ પ્રદ્યુમન નગર પો. સ્ટે.માં નોંધાયો ગુનો