પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘ક્યાર’ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ‘ક્યાર’ વાવાઝોડાની અસર જોવા મળી રહીછે. દરિયા કિનારા ના વિસ્તારોમાં 40 થી 45 KM ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ક્યાર વાવાઝોડાને કારણે દરિયા કિનારાના વિસ્તારને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા છે. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે.
ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. દરિયામાં પવન અને કરંટના કારણે બોટ સર્વિસ બંઘ કરવાનો નિર્ણય લેવામાં લાવ્યો. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો આવ્યો. જેને લઈને દર્શનાર્થે જતા પ્રવાસીઓ પરત ફર્યા હતા. તો સાથે સાથે માછીમારો ને પણ દરિયો નાં ખેડવાની સુચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.