જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 36 કલાકમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અવંતીપોરા ના હરદુમીર ત્રાલ વિસ્તારમાં શનિવારે સાંજે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. વહેલી સવારે, શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, શુક્રવારે અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સિવાય સુરક્ષાદળોએ ચાર આતંકીઓની પણ ધરપકડ કરી હતી.
અવંતીપોરા માં એન્કાઉન્ટરના થોડા કલાકો પહેલાં, શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં જ સુરક્ષા દળોએ શોપિયાના ચૌગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
Encounter breaks out between security forces and terrorists in Hardumir, Tral area of Awantipora: Kashmir Zone Police
— ANI (@ANI) December 25, 2021
આ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના સંગઠનને શોધી કાઢવામાં આવી રહ્યા છે. તે જ સમયે, શુક્રવારે અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો.
શુક્રવારે અવંતીપોરામાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો
શુક્રવારે અવંતીપોરામાં સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને પકડી લીધા હતા અને તેમની પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. આતંકીઓ પાસેથી એક એકે 56 રાઈફલ, એક એકે 56 મેગેઝિન, 28 રાઉન્ડ દારૂગોળો અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને તરફથી ગોળીબાર થયો હતો.
પંજાબ / કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા 22 ખેડૂત સંગઠનોએ ચૂંટણી લડવાની કરી જાહેરાત
World / પાકિસ્તાની સૈન્ય અને તાલિબાન વચ્ચે ગોળીબાર જાણો શું છે ઝઘડાનું કારણ ?
launch / આજે નાસા લોન્ચ કરશે વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ, આ રીતે જોઈ શકાશે લાઈવ સ્ટ્રીમ

