મુંબઇ
ટીવી શો “એક વીર કી અરદાસ… વીર”ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મુકેશ મિશ્રાને આ શોની એક 31 વર્ષની અભિનેત્રીના સાથે બળાત્કારના મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે. સ્પેશિયલ વુમન્સ કોર્ટે તેમને આ કેસમાં 7 વર્ષ સુધીની સજા ફટકારી છે. માહિતી અનુસાર, મુકેશે પહેલા તો આ અભિનેત્રીને શોમાં કામ માટે રાખી અને તે પછી તેને મેકઅપ રૂમમાં લઇ જઇ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
એક્ટ્રેસે નોંધાવેલી પોલિસ ફરિયાદ પ્રમાણે આ ઘટના 12 ડિસેમ્બર 2012 ના દિવસે થઇ હતી. જ્યારે મુકેશે આ એક્ટ્રેસને બસ સ્ટેન્ડ પર મળવા માટે કહ્યું હતું,જો કે બસ મોડી થવાથી મુકેશ ભોગ બનેલ પીડિતાને બાઇક પર તેની સાથે આવવા માટે કહ્યું. મુકેશ બાઇકથી શૂટિંગ સ્થળ સુધી લઈ ગયો હતો જ્યાં તેમણે બળાત્કાર કર્યો. એક રિપોર્ટ અનુસાર, મુકેશએ ભોગ બનેલને ધમકી આપી હતી કે જો તેણીએ આ વિશે કોઈને પણ જણાવ્યું તો તેને તેના પરિણામનો સામનો કરવો પડશે.
આપને જાણવી દઈએ કે, “એક વીર કી અરદાસ … વીરા” શો 29 ઓક્ટોબર 2012 ના રોજ શરૂ થયો હતો અને શો ખુબ જ લોકપ્રિય થયો હતો. શોને ટીવી ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો, તેમાં દિગાંગના સૂર્યવંશી, શિવિન નારંગ, વિશાલ વશિષ્ઠ, સ્નેહ વાગ અને ફરહાનજ શેટ્ટી મુખ્ય ભૂમિકા જોવા મળ્યા હતા.