Maharashtra News/ ચેમ્બુરમાં ભીષણ આગનો બનાવ, 7 લોકો અગ્નિકાંડમાં ભડથું

જેના કારણે અંદર ફસાયેલા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા.

Top Stories India Breaking News
Image 2024 10 06T092842.087 ચેમ્બુરમાં ભીષણ આગનો બનાવ, 7 લોકો અગ્નિકાંડમાં ભડથું

Maharashtra News: મુંબઈના (Mumbai) ચેમ્બુરમાં (Chembur) ભીષણ આગ લાગી છે. અકસ્માતમાં 7 લોકો જીવતા દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ચેમ્બુરના સિદ્ધાર્થ કોલોનીમાં આજે વહેલી સવારે એક દુકાનમાં ભીષણ આગ (Fire Accident) લાગી હતી. આગમાં આખી દુકાન લપેટમાં આવી ગઈ હતી અને તેના ઉપરના માળે રહેતા પરિવારના પાંચ સભ્યો દાઝી ગયા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદર ફસાયેલા લોકોને બચાવી શકાયા ન હતા. મુંબઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.

Mumbai Fire: चेंबूरमध्ये घराला लागली आग, एकाच कुटूंबातील 5 जणांचा होरपळून मृत्यू | Times Now Marathi

માહિતી અનુસાર, 6 ઓક્ટોબર, રવિવારે સવારે લગભગ 5:15 વાગ્યે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે વિદ્યુત ઉપકરણોમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્ફોટના કારણે ઉપરના માળ પરની વીજ વ્યવસ્થા પણ તૂટી પડી હતી. આગને કારણે બે માળની ઈમારત સળગવા લાગી હતી. આગની પ્રચંડ જ્વાળાઓ જોઈને પાડોશીઓએ અંદર જવાની હિંમત ન કરી. ફાયર કર્મીઓ પણ બહારથી આગ ઓલવવામાં વ્યસ્ત હતા. તેઓ પણ ઘરમાં પ્રવેશી શક્યા ન હતા કારણ કે અંદર જવાનો એક જ રસ્તો હતો. જેના કારણે અંદર ફસાયેલા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા.

Mumbai: Fire breaks out at residential building In Chembur | VIDEO – India TV

અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં પતિ-પત્ની, બે બાળકો અને તેમના એક સંબંધીનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ 30 વર્ષીય પ્રેમ ગુપ્તા, 30 વર્ષની પ્રેમ ગુપ્તાની પત્ની મંજુ, 39 વર્ષની અનિતા ગુપ્તા, 10 વર્ષીય નરેન્દ્ર ગુપ્તા અને 7 વર્ષની પેરિસ ગુપ્તા, વિધિ ગુપ્તા અને ગીતા ગુપ્તા તરીકે થઈ છે. સાત લોકોને ફાયરના જવાનોએ બચાવીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

5 dead as fire breaks out at single-storey building in Mumbai's Chembur | Mumbai News - The Indian Express


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદમાં પહેલા નોરતે લાગી આગ, TRP Game Zone Fire જેવો માહોલ

આ પણ વાંચો:તાઈવાનની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, શ્વાસ રૂંધાવાથી 8 લોકોના મોત

આ પણ વાંચો:કારમાં આગ લાગતાં સિરામિક બિઝનેસમેનનું મોત, 5 લાખ સહિત આ વસ્તુઓ સલામત