Not Set/ જાણો કેમ ભાજપનાં 3 મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા ઘરે પહોંચી ગયા ?

મોદી સરકારનાં 3 મંત્રીઓ સોનિયા ગાંધીનાં ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા. સંસદીય બાબતોનાં કેનદ્રીયમંત્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૃષી અને ખેડૂત વિકાસ બાબતનાં કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર સિંહ તોમાર, કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે સોનિયા ગાંધીનાં નિવાશ સ્થાને પહોંચ્યા હતા. આવતી 17મી જૂનથી જ્યારે સંસદનું સત્ર શરુ થવા […]

Top Stories India
soniya bjp neta જાણો કેમ ભાજપનાં 3 મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા ઘરે પહોંચી ગયા ?

મોદી સરકારનાં 3 મંત્રીઓ સોનિયા ગાંધીનાં ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા. સંસદીય બાબતોનાં કેનદ્રીયમંત્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૃષી અને ખેડૂત વિકાસ બાબતનાં કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર સિંહ તોમાર, કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે સોનિયા ગાંધીનાં નિવાશ સ્થાને પહોંચ્યા હતા. આવતી 17મી જૂનથી જ્યારે સંસદનું સત્ર શરુ થવા જઇ રહ્યું છે. સત્ર દરમ્યાન સાંસદની કામગીરી સરળતા સાથે આગળ વધે તેવા ઉદ્દેશથી ભાજપના મંત્રીઓ દ્રારા સોનિયા ગાંધીની મુલાકાત લોવામાં આવી હતી.

સોનિયા ગાંધીનાં નિવાસ સ્થાને મળેલ બેઠક બાદ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સોનિયા ગાંધી સાથેની તેેેમની મુલાકાત ખૂબ જ સૌમ્યતા સભર રહી હતી. તેઓએ સંસદનાં સત્રમાં કાર્યવાહી સરળતા ભરી રહે તે માટે તેમના સમર્થનની માંગ કરી. જોશીએ કહ્યું કે સરકારને હંમેશા ઘણા મામલે વિરોધ પક્ષનાં ટેકોની પણ જરૂર  હોય છે, જેથી કરીને પ્રજા લક્ષી કામો કરવામાં સરળતા અને ઝડપ રહે. .

terrorist organization LeT has given support to the statement of Congress leader Gulam nabi Azad

સૂત્રોનાં જણાવ્યું પ્રમાણે કેન્દ્રીયમંત્રી જોશી અને સોનિયા ગાંધી લગભગ 15 મિનિટ ચાલતી હતી. તો જોષી અને સાથીઓ સાથે સાથે રાજ્યસભામાં વિરોધ પક્ષનાં નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં બીજા મોટા પક્ષ DMKનાં નેતા ટીઆર બાલુને પણ મળ્યા હતા. આ સત્રમાં બજેટ ઉપરાંત, તિન તલાક પ્રતિબંધ સહિતનાં 10 નવા અધિનિયમોમાં ફેરફાર રજુ કરવાની યોજના બનાવી રહી છે.
આપને જણાવી દઇએ કે સંસદનાં સત્ર પહેલાં સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની શુક્રવારે સાંજે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના નિવાસસ્થાને મળી આગળની નીતિ નક્કી કરવા જઇ રહી છે આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજરી આપી રહ્યા છે.17મી લોકસભાનું પ્રથમ 17 જૂનથી  26 જુલાઇ સુધી ચાલશે અને બજેટ 5 જુલાઇએ રજૂ કરવામાં આવશે.