Not Set/ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર, તંત્ર દ્વારા પાઈપલાઈનનું તાત્કાલિક રિપેરિંગ કરાયું

અરવલ્લી, અરવલ્લીના મેઘરજમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. જેથી ગ્રામજનો પાણી વગરના બન્યા હતા. મેઘરજમાં ખાનગી મોબાઇલ કંપનીના ટાવર માટે ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન 30 વર્ષ જૂની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. આ પાઇપલાઇન 1800 મીટરની છે. જે તૂટી પડતાં 5000 લોકો પાણી વગર તરસી રહ્યા હતા. છેલ્લા 3 દિવસથી આ ઘટના […]

Top Stories Gujarat Others Videos
mantavya 29 મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર, તંત્ર દ્વારા પાઈપલાઈનનું તાત્કાલિક રિપેરિંગ કરાયું

અરવલ્લી,

અરવલ્લીના મેઘરજમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. જેથી ગ્રામજનો પાણી વગરના બન્યા હતા. મેઘરજમાં ખાનગી મોબાઇલ કંપનીના ટાવર માટે ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન 30 વર્ષ જૂની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. આ પાઇપલાઇન 1800 મીટરની છે. જે તૂટી પડતાં 5000 લોકો પાણી વગર તરસી રહ્યા હતા. છેલ્લા 3 દિવસથી આ ઘટના બની છે.ગઈકાલે મંતવ્ય ન્યુઝે આ ઘટના અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે બાદ તંત્રએ તાત્કાલિક પાઈપલાઈનનું સમારકામ કરાવડાવ્યું.