Not Set/ ગુજરાતના 2002ના રમખાણોના કેસોની દેખરેખ હવે સુપ્રીમ કોર્ટ નહિ કરે

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાતના નરોડા ગામ કેસને હાથ પર લેવા એસઆઇટીને કહ્યું છે. સુપ્રીમ કોર્ટ પાસેના નવમાંથી આ એકમાત્ર કેસમાં તેના તાર્કિક અંત સુધી પહોંચવાનું બાકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી કરતી ખાસ કોર્ટે આગામી 16 ઓક્ટોબર, 2018 સુધી તેની સુનાવણી પૂર્ણ કરી દેવી જોઇએ. ગુજરાતના વર્ષ 2002ના રમખાણોને લગતા […]

Ahmedabad Top Stories Gujarat
Supreme Court will not oversee the cases of 2002 Gujarat riots

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાતના નરોડા ગામ કેસને હાથ પર લેવા એસઆઇટીને કહ્યું છે. સુપ્રીમ કોર્ટ પાસેના નવમાંથી આ એકમાત્ર કેસમાં તેના તાર્કિક અંત સુધી પહોંચવાનું બાકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી કરતી ખાસ કોર્ટે આગામી 16 ઓક્ટોબર, 2018 સુધી તેની સુનાવણી પૂર્ણ કરી દેવી જોઇએ.

ગુજરાતના વર્ષ 2002ના રમખાણોને લગતા કેસોને ગુજરાતની બહાર ટ્રાંસફર કરવાની રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા 15 વર્ષ અગાઉ ફાઇલ કરવામાં આવેલી કરેલી અરજીનો સુપ્રીમ કોર્ટે નિકાલ કર્યો છે.

નરોડા ગામ કેસની સુનાવણી કરતી ખાસ રમખાણ કોર્ટને બે અઠવાડિયા અગાઉ સુપ્રીમ કોર્ટનો એક આદેશ મળ્યો છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ ગુજરાતના વર્ષ 2002ના રમખાણોના કેસ પર હવે લાંબા સમય સુધી મોનિટરિંગ નહિ કરે.

આ જ કેસમાં 2008માં એક ઓર્ડર જાહેર કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ સાથે રમખાણોના નવ જેટલા કેસોમાં તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવી જોઇએ. સુપ્રીમ કોર્ટે હવે એસઆઇટીને કહ્યું છે કે, તે નરોડા ગામ કેસ હાથ પર લઇ લે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના વર્ષ 2002ના રમખાણના આઠ કેસોમાં 80થી વધુ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવેલા છે.