Not Set/ હાર્દિકને લાફો મારનાર તરુણ મિસ્ત્રીને હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્દ્રનગર, વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલને એક યુવકે ચાલુ સભામાં તમાચો મર્યો હતો. હાર્દિકને તમાચો મારનારા તરુણ મિસ્ત્રીને લોકોએ બેરહેમીથી માર માર્યો હતો.જોકે પોલીસ મહામહેનતથી તેને લોકોનાં ટોળાથી બચાવી લેવામાં આવ્યો હતો એન ત્યારબાદ પોલીસ તેને તેમની સાથે લઈ ગઈ હતી. લોકોના માર બાદ યુવકને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે અને હાલ […]

Top Stories Gujarat Others Trending
rer 18 હાર્દિકને લાફો મારનાર તરુણ મિસ્ત્રીને હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્દ્રનગર,

વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલને એક યુવકે ચાલુ સભામાં તમાચો મર્યો હતો. હાર્દિકને તમાચો મારનારા તરુણ મિસ્ત્રીને લોકોએ બેરહેમીથી માર માર્યો હતો.જોકે પોલીસ મહામહેનતથી તેને લોકોનાં ટોળાથી બચાવી લેવામાં આવ્યો હતો એન ત્યારબાદ પોલીસ તેને તેમની સાથે લઈ ગઈ હતી. લોકોના માર બાદ યુવકને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

 ન્યૂઝ18 ગુજરાતી : સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ આવતા વઢવાણના બલદાણા ખાતે હાર્દિક પટેલને એક વ્યક્તિએ ચાલુ સભામાં થપ્પડ મારી હતી. હાર્દિકને થપ્પડ મારનારા વ્યક્તિને લોકોએ બેરહેમીથી માર માર્યો હતો. પોલીસ મહામહેનતે તેને લોકોનાં ટોળાથી બચાવીને લઈ ગઈ હતી. લોકોના માર બાદ યુવકને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 ભાજપ ગુંડાગીરી પર ઉતારી આવ્યું છે : હાર્દિકને લાફો મારવા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, "ભાજપ ગુંડાગીરી પર ઉતરી આવ્યું છે. ભાજપની ગુંડાગીરી સામે હાર્દિક પટેલ ઝૂકશે નહીં. ભાજપના સીએમ સહિતના લોકો મતદારોને ધમકી આપવા પર ઉતરી આવ્યા છે."

 ભાજપને ઈશારે હુમલો થયો : પાસ કન્વિનર મનોજ પનારાએ હાર્દિક પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભાજપના ઈશારે હાર્દિક પટેલ પર હુમલો થયો છે. જો પાસ ટીમ ધારે તો ભાજપની એક પણ સભા નહીં થવા દે."