Swaminarayan gurukul/ સમઢિયાળી ગુરુકુળ વિવાદમાં, બ્રેઇનવોશ કરીને સાધુ થવાની અપાય છે લાલચ

આપણે ગુરુકુળ પાસેથી કુળ ઉજાળે તેવા શિક્ષણની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પણ આ જ ગુરુકુળના સાધુ જ્યારે વિદ્યાર્થીને માબાપથી બાળકને દૂર રહેવાનું કહે અને તેને સાધુ બનાવવા માટે બ્રેઇનવોશ કરે તો શું કહેવાનું. આવો કિસ્સો ગીર ગઢડા તાલુકાના મોટા સમઢિયાળીથી સામે આવ્યો છે.

Gujarat Others
Beginners guide to 2024 05 15T104137.599 સમઢિયાળી ગુરુકુળ વિવાદમાં, બ્રેઇનવોશ કરીને સાધુ થવાની અપાય છે લાલચ

સમઢિયાળીઃ આપણે ગુરુકુળ પાસેથી કુળ ઉજાળે તેવા શિક્ષણની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પણ આ જ ગુરુકુળના સાધુ જ્યારે વિદ્યાર્થીને માબાપથી બાળકને દૂર રહેવાનું કહે અને તેને સાધુ બનાવવા માટે બ્રેઇનવોશ કરે તો શું કહેવાનું. આવો કિસ્સો ગીર ગઢડા તાલુકાના મોટા સમઢિયાળીથી સામે આવ્યો છે. અહીં સ્વામીએ કિશોરનું એવું બ્રેઇનવોશ કર્યુ કે હવે કિશોર માબાપ સાથે રહેવા માંગતો નથી. હવે કિશોર સાધુ બનવા માંગે છે એવું કિશોરના માબાપ કરી રહ્યા છે. માબાપને એમ કે છોકરાને સારા સંસ્કાર મળે તે માટે ગુરુકુળમાં મૂકયો, પરંતુ સંસ્કાર તો બાજુએ રહ્યા હવે તો છોકરો ગુમાવવાના દહાડા આવ્યા છે.

ગીર ગઢડા તાલુકાના સમઢીયાળામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વડલી ગામના અશોક શિંગાળાએ પુત્રને ભણવા મૂક્યો હતો. સારા સંસ્કારના સિંચન માટે પુત્રને ત્યાં ત્રણ વર્ષ સુધી ભણાવ્યો. પણ આજે પરિસ્થિતિ એવી બની છે કે કિશોર કુટુંબ સાથે રહેવા માંગતો નથી. આ કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે બ્રેઇનવોશ કર્યુ છે કે આજે બાળકે પોતાના ઘરની માયા મૂકી દીધી.

સામાન્ય રીતે વેકેશન પડે ત્યારે વિદ્યાર્થીઓ ઘરે આવવા ઉત્સુક હોય, પરંતુ અહીં તો ઉલ્ટી સ્થિતિ હતી. વિદ્યાર્થી પોતે ગુરુકુળ જવાની જીદ કરતો હતો અને તેના માટે જમવાનું છોડી દેતો હતો. આ બધા લક્ષણોને જોતાં અશોકભાઈએ દીકરાની નોટબુક ચેક કરી હતી. તેથી જાણવા મળ્યું કે તેને કુટુંબ સામે ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા અપાય છે. તેમા અનેક લખાણ એવા હતા તેમા માબાપ અને કુટુંબ સામે ખરાબ વસ્તુ હતી અને સંતો વિશે સારું લખાણ હતુ. માબાપે કિશોર પાસે સ્વામીને ફોન કરાવ્યો તો ગુરુકુળ આવવા માટે ન જમવાની તેને સલાહ આપી. હવે જ્યાં આ પ્રકારના સ્વામીઓ હોય ત્યાં કોઈ માબાપનો કિશોર કેવી રીતે સુરક્ષિત રહે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે ગોળગોળ વાતો કરી તથા અજાણ્યા હોવાનું રટણ કર્યુ. આ પ્રકારનો કિસ્સો દર્શાવે છે કે ગુરુકુળમાં સારા સંસ્કાર માટે મૂકતા વાલીઓએ ચેતવા જેવું છે, ક્યાંક સંસ્કાર મેળવવાની લાયમાં છોકરો ગુમાવવાનો તો નહીં આવેને. આ તો બહાર આવેલો એક જ કિસ્સો છે. આવા બહાર નહીં આવેલા કિસ્સા કેટલાય હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત