28 વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા એલાયન્સની આગામી બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે. આ મીટીંગ ઓનલાઈન હશે. મળતી માહિતી મુજબ, આ બેઠક આજે સાંજે મળવાની હતી, પરંતુ કોંગ્રેસના નેતાઓની વ્યસ્તતાને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી, હવે આ બેઠક શનિવારે સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલ થશે.
વર્ચ્યુઅલ મીટિંગ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. શક્ય છે કે જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનના સંયોજક બનાવવાની જાહેરાત કરવામાં આવે. આ બેઠકમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવ ઉપરાંત તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પણ હાજરી આપશે. એવા અહેવાલો છે કે મહાગઠબંધનમાં ઘણા પક્ષો નીતિશ કુમારને સંયોજક બનાવવા માટે સહમત થયા છે. જો કે આ અંગે ટીએમસી ચીફ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સ્ટેન્ડ હજુ સ્પષ્ટ થયું નથી. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મમતા બેનર્જીએ પીએમ ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનો પ્રસ્તાવ મૂક્યો હતો. મમતાના પ્રસ્તાવને અરવિંદ કેજરીવાલ સહિત 12 પક્ષોએ ટેકો આપ્યો હતો.
આવતીકાલે મળનારી બેઠક મહત્વની છે.
શનિવારે યોજાનારી વિપક્ષી મહાગઠબંધનની બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે મહાગઠબંધનમાં સીટની વહેંચણી પર અંતિમ મહોર મારવામાં આવશે. સંયોજકનું નામ પણ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ દરરોજ રાજ્યવાર બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી રહી છે.
આ પણ વાંચો:pocso/કર્ણાટકમાં 9માં ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ
આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની…..
આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી