મધ્ય પ્રદેશમાં મંત્રાલયમાં મહિનાની દર પહેલી તારીખે વંદે માતરમ ગીત ગાવવા પર કમલનાથની સરકારે ના પડી દીધી હતી. આ દિવસે મંત્રાલયના દરેક કર્મચારી પાર્કમાં ભેગા થતા હતા અને વંદે માતરમ ગીત ગાતા હતા.
Madhya Pradesh Chief Minister Kamal Nath: Vande Mataram ko main ek naya roop dunga aur aaj-kal mein ghoshit karunga pic.twitter.com/FvMIoXjc4y
— ANI (@ANI) January 2, 2019
સીએમ કમલનાથે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે હું વંદે માતરમને નવું રૂપ આપીશ. આ વંદે માતરમનું નવું રૂપ આજ-કાલમાં જ ઘોષિત કરીશ.
સીએમના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ બીજેપીની પરંપરાને બંધ તો નહી કરે પરંતુ તેને નવું રૂપ આપી શકે છે.
Bhopal: BJP workers hold protest outside the Secretariat against Chief Minister Kamal Nath over Vande Mataram row. pic.twitter.com/eSxx8vBdgF
— ANI (@ANI) January 2, 2019
તમને જણાવી દઈએ કે આજે ભોપાલમાં બીજેપીના કાર્યકરો દ્વારા સચિવાલયની બહાર વંદે માતરમને લઈને સીએમ કમલનાથનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મધ્ય પ્રદેશમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસની સરકાર આવી છે. કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

