Not Set/ NIA નો ખુલાસો, દેશમાં આત્મઘાતી હુમલો કરવાની યોજના હતી ISIS ની, VVIP હતા ટાર્ગેટ  

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના આઈજી આલોક મિત્તલે જણાવ્યું હતું કે, બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે 10 સ્થળોએ દરોડા પાડીને ISIS નું આતંકી મોડ્યુલ ઝડપી પાડવામાં આવ્યું છે. એટલું જ નહી 10 શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ISIS નું પકડાયેલું આ આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતું […]

Top Stories India Trending
NIA revealed, ISIS’s Plan of suicide attacks in the country was to Target VVIP

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના આઈજી આલોક મિત્તલે જણાવ્યું હતું કે, બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે 10 સ્થળોએ દરોડા પાડીને ISIS નું આતંકી મોડ્યુલ ઝડપી પાડવામાં આવ્યું છે. એટલું જ નહી 10 શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ISIS નું પકડાયેલું આ આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતું અને તેમના ટાર્ગેટમાં દેશના મોટા નેતાઓ અને VVIP હતા.

પત્રકારોને સંબોધતાં NIA ના આઈજી આલોક મિત્તલે જણાવ્યું હતું કે, “જે પ્રકારની તેમની તૈયારીઓ હતી તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ નજીકના ભવિષ્યમાં દેશના કેટલાક વિસ્તારોમાં રિમોટ કન્ટ્રોલ વડે વિસ્ફોટો કરવાના હતા, એટલું જ નહી આ સાથે જ આત્મઘાતી હુમલાઓ કરવાની પણ યોજનાઓ હતી. આ ISISથી પ્રેરિત એક મોડ્યુલ છે અને તેઓ વિદેશી એજન્ટના સંપર્કમાં પણ હતા. જોકે, હજુ સુધી આ વિદેશી એજન્ટની ઓળખ કરવાની બાકી છે.”

મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે, “આ લોકોના નિશાન પર રાજકીય નેતાઓ, અન્ય જાણીતી હસ્તીઓ અને સુરક્ષાના મુખ્ય અને ગંભીર કેન્દ્રો હતા.”

NIA દ્વારા આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપતા આઈજી આલોક મિત્તલે જણાવ્યું હતું કે, “અમારા દ્વારા ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં 17 સ્થાનો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમને વિગતો મળી હતી કે, ISISનું ‘હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામ’ નામના આ મોડ્યુલ દ્વારા દેશમાં શ્રેણીબદ્ધ બોમ્બધડાકા કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી હતી.”

આઈજી મિત્તલે જણાવ્યું હતું કે, “દિલ્હીના સિલામપુર અને ઉત્તરપ્રદેશના અમરોહા, હાપુર, મેરુત અને લખનઉમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી, હથિયારો અને ઘાતક હથિયારો કે જેમાં દેશી બનાવટનું રોકેટ લોન્ચર પણ તેમની પાસેથી પકડવામાં આવ્યું છે.”

પત્રકારોને સંબોધતા આઈજીએ જણાવ્યું કે, “એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ અગાઉ આ મામલામાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હાલમાં વધુ વિગતો માટે તેમની પૂછપરછ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના એન્ટી-ટેરરિસ્ટ સ્કોડની મદદથી રાજ્યના અમરોહા જિલ્લામાંથી પાંચ જણાંની અટકાયત કરાઈ છે, જ્યારે અન્ય પાંચની દિલ્હીમાંથી ધરપકડ કરાઈ છે.”

આઈજી મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે, “ઝડપાયેલા લોકોની પાસેથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે. આ ઉપરાંત રૂ.7.50 લાખની રોકડ રકમ, 100 મોબાઈલ ફોન, 135 સિમ કાર્ડ, લેપટોપ્સ અને મેમરી કાર્ડસ પણ મળી આવ્યા છે. 16 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ બાદ અમે હાલમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે.”

મિત્તલે જણાવ્યું હતું કે, “ઈસ્લામિક સ્ટેટનું આતંકી મોડ્યુલ ‘હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામ’ ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હીમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ આતંકી મોડ્યુલને લીડ કરનારા વ્યક્તિની મુફ્તિ સોહેલ તરીકે ઓળખ થઈ છે, જે અમરોહાનો છે. તેની પાસેથી એક પિસ્ટલ, વિસ્ફોટક સામગ્રી અને કેટલીક રોકડ રકમ હાથ લાગી છે. આ વ્યક્તિ ઉત્તરપ્રદેશના અમરોહાનો મૂળ વતની છે અને દિલ્હીમાં એક મસ્જિદમાં કામ કરતો હતો.”

એનઆઈએના આઈજીએ જણાવ્યું હતું કે, મુફ્તિ સોહેલની પાસેથી મળેલી પ્રાથમિક વિગતોના આધારે જ સિમ્ભોલી, લખનઉ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ તેમના આકાઓ સાથે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ વડે સતત સંપર્કમાં હતા.

તેમની શંકાસ્પદ ગતિવિધીઓ અંગે માહિતી મળ્યા બાદ NIA છેલ્લા ઘણા સમયથી તેમના પર વોચ રાખીને બેઠી હતી. આ લોકો સ્થાનિક બજારમાં સોનાના ઘરેણાં વેચીને પોતાનું ફંડ એકઠું કરતા હતા.