Not Set/ વિસનગર શાકમાર્કેટમાં હોબાળો, APMC સામે વેપારીઓના ગંભીર આક્ષેપો

મહેસાણા મહેસાણાના વિસનગર શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તેમજ વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. એપીએમસી સામે વેપારીઓ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, એપીએમસી દ્વારા શાકભાજીના વેપારમાં હેરાનગતિ કરવામાં આવે છે.. એપીએમસીએ શાકમાર્કેટમાં નવા વેપારીઓને ઓટલા ફાળવ્યા બાદ આ સમસ્યા સર્જાઈ હોય તેવું મનાઈ રહ્યું છે. સાથે જ વેપારીઓએ […]

Gujarat

મહેસાણા

મહેસાણાના વિસનગર શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તેમજ વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. એપીએમસી સામે વેપારીઓ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, એપીએમસી દ્વારા શાકભાજીના વેપારમાં હેરાનગતિ કરવામાં આવે છે..

એપીએમસીએ શાકમાર્કેટમાં નવા વેપારીઓને ઓટલા ફાળવ્યા બાદ આ સમસ્યા સર્જાઈ હોય તેવું મનાઈ રહ્યું છે. સાથે જ વેપારીઓએ એપીએમસીએ ધડખમ પૈસા ઉઘરાવ્યાં હોવાનું આક્ષેપો કર્યા છે. જેના કારણે શાકમાર્કેટમાં જુના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વેપારીઓના હડતાળને લઈ વિસનગર એપીએમસીમાં શાકભાજીના વેપાર પર મોટી અસર જોવા મળી હતી.