બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકાર પર ચંદ્રયાન – 2 અને મિશન મુનને લઇને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સરકાર આ મામલે એવી રીતે વર્તી રહી છે કે, આ પૂર્વે કોઇ દિવસ દેશ દ્વારા કોઇ અવકાશી ઇવેન્ટ થય જ ન હોય અને મોદી સરકાર આપ્યા પછી ઇતિહાસમાં પહેલીવાર ભારત ચંદ્ર ઉપર ઉરતી રહ્યું હોય.
મમતા બેનર્જીએ આ મામલે સરકાર પર ચોખ્ખો આક્ષેપ કર્યો છે કે, ચંદ્રયાન – 2ને આ રીતે ઘટના ક્રમ બનાવી સરકાર દેશનું ધ્યાન હાલની કથળી રહેલી અને ખાડે ગયેલી આર્થિક પરિસ્થિતિ પરથી ખેંચીને આ મામલે ડાઇવર્ટ કરવા માગે છે. દેશ માટે અત્યારે જેટલું મહત્વનું ચંદ્રયાન છે એટલી જ મહત્વની બાબત દેશની હાલની સ્થિતિમાં સુધાર અને બગડેલી અને ખાડે ગયેલી, પાટા પરથી ઉતરી ગયેલી દેશનાં અર્થતંત્રની ગાડીને પાટે કેમ ચડાવવી તે પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.વા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.